Friday, 19 July 2013

ધોરણ ૧૨ વિષય ગુજરાતી કાવ્ય ૧ વૈષ્ણવજન

ધોરણ ૧૨ વિષય ગુજરાતી
કાવ્ય ૧  વૈષ્ણવજન  કવિ : નરસિહ મેહતા

કાવ્ય૧ વૈષ્ણવજન
નરસિંહ મેહતા
સાહિત્ય પ્રકાર : પદ

જિતેન્દ્ર ભાવસાર
એચ. બી .કે  ન્યૂ હાઈસ્કૂલ, શાહીબાગ

વૈષ્ણવજન તો  તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે ;
પરદુ:ખે  ઉપકાર કરે તોય મન અભિમાન ના આણે રે .... વૈષ્ણવજન
સકળ લોક માં સહુને વંદે , નિંદા ન કરે કેની રે ;
વાચ –કાછ-મન નિશ્ચલ  રાખે , ધન્ય ધન્ય જનની તેની રે. વૈષ્ણવ0
સમદ્રષ્ટિ ને તૃષ્નાત્યાગી, પરસ્ત્રી જેને માત રે ;
જીહ્વવા થકી અસત્ય ન બોલે , પરદ્રવ્ય ન ઝાલે હાથ રે . વૈષ્ણવ0
મોહ-માયા લેપે નહિ તેને , દ્રઢ વૈરાગ્ય તેના મનમાં રે ;
રામનામ –શું તાળી લાગી , સકળ તીરથ તેના તનમાં રે . વૈષ્ણવ0
વણલોભી ને કપટરહિત છે, કામ-ક્રોધ જેણે માર્યા રે ;
ભણે નરસૈયો :તેનું દર્શન કરતાં કુળ એકોતેર તાર્યા રે . વૈષ્ણવજન 


વૈષ્ણવજન કાવ્યનું ઓડિયો વિડીઓ ડાઉનલોડ કરો 

વ્યાકરણ

 જોડણી
વિરામચિહનો
વાક્ય રચના
ગુજરાતી સાહિત્ય
ધોરણ ૧૦ અને S.T.D 12 (દ્વિતીય ભાષા) વ્યાકરણ
સંજ્ઞા
અલંકાર

No comments:

Post a Comment